રાજેશ ખન્ના

જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે…

ફિલ્મ – સફર

વર્ષ – ૧૯૭૦

ગીત- જો તુમકો હો પસંદ

ગીતકાર- ઇન્દીવર

ગાયક – મુકેશ

સંગીત- કલ્યાણજી આનંદજી

 જેના પ્રેમમાં અઢળક પઝેસીવનેસ પડેલી છે, તેવા લોકો માટેનું આ ગીત છે. બિલકુલ આ જ પ્રકારનું બીજું એક ગીત બોલીવૂડમાં વર્ષhqdefault ૨૦૦૫ માં આવ્યું હતું. ફિલ્મ હતી ‘ઝહેર’ અને ગીત હતું ..” અગર તુમ મિલ જાઓ” . જરા એ ગીતના શબ્દો યાદ કરો… “અગર તુમ મિલ જાઓ.. ઝમાના છોડ દેંગે હમ.. તુમ્હે પાકર ઝમાને ભર સે રિશ્તા તોડ દેંગે હમ” , આ તો મુખડું થયું, હવે પહેલો અંતરો યાદ કરો, “બીના તેરે કોઈ દિલકશ નઝારા હમ ન દેખેંગે.. તુમ્હે ના હો પસંદ ઉસકો દુબારા હમ ન દેખેંગે, તેરી સુરત ન હો જિસમેં વો શીશા તોડ દેંગે હમ” આપણે આજે જે ગીતની વાત કરવાના છીએ એ ગીત અને ‘ઝહેર’ ફિલ્મના આ ગીત માં ઘણું સામ્ય છે, બંને ગીતમાં સામેના પાત્રની પઝેસીવનેસને પોષવાની વાત છે. પઝેસીવનેસની વ્યાખ્યા પણ દરેક વ્યક્તિ જુદી જુદી રીતે કરતુ હોય છે. કોઈ વ્યક્તિ પ્રેમી પર પોતાનું માલિકીપણું દાખવવાને પઝેસીવનેસ કહે છે, તો કોઈને મતે પઝેસીવનેસ એટલે પ્રેમી પક્ષે પોતાના હકો ભોગવવા. તો આ વ્યાખ્યા ને સમર્પિતભાવ હેઠળ પણ આવરી શકાય. પ્રેમ જયારે નવો નવો હોય ત્યારે એમાં સમર્પિત ભાવ ખૂબ હોય.  સામેના પાત્ર માટે થઈને જતું કરવું ખૂબ સહેલું હોય, અને એને વાતે વાતે મનાવવું પણ ગમે. અને આવું હોવાનું એક કારણ ઇન્સીકયોરીટી છે. પછી સંબંધ જુનો થતો જાય તેમ ઇન્સીક્યોરીટી દૂર થવા લાગે… એટલે સમર્પિત ભાવ નો પણ નાશ થવા લાગે. પછી તકલીફ એ પાત્રને પડે જેને સમર્પિત ભાવ ધરાવતો પોતાનો પ્રિયજન માફક આવી ગયો હોય. પોતાને પ્રેક્ટીકાલીટી અને પઝેસીવનેસ નું જ્ઞાન આપતો પ્રિયજન એને ક્યાંથી માફક આવે? કારણ કે એક સમયે એ જ પ્રિયજન એને એવું કહેતો હોય કે…

 “જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે

તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે…”

 આ ગીતના પહેલા અંતરામાં (એટલે કે હવે પછીની ચાર લાઈન્સમાં ) જે વાત છે એને હું દરેક પુરુષના દિલની તમન્ના તરીકેઓળખાવીશ. માત્ર પુરુષ ડોમિનેટીંગ ક્યારેય નથી હોતો. સમગ્ર વિશ્વનો આ સર્વકાલીન નિયમ છે કે બંને પાત્રમાંથી જે વધુ શક્તિશાળી કે સબળું હોય એ જ ડોમિનેટીંગ બનતું હોય છે.મારા મતે સ્ત્રીમાં ડોમિનેટીંગ તત્વ પુરુષ કરતા વધુ હોય છે, જયારે પુરુષના હ્રદય સંવેદનાનું ભૂખ્યું હોય છે. એ ભાંગી પડે ત્યારે તેને સ્ત્રીનો સાથ જોઈએ. સ્ત્રીના ખોળામાં માથું રાખીને તેને પોતાના દુઃખ હળવા કરવા હોય છે. આ રીતે સરળતાથી તે પોતાની જાતને સ્ત્રીના ખોળામાં સમર્પિત કરી દેતો હોય છે. દુનિયાનો ગમે તેટલો મોટો ખેલાડી પણ પોતાની બધી બાજીઓ સ્ત્રી આગળ ખુલ્લી પાડી દેતો હોય છે. આપણે સૌ દુનિયાના દરેક સંબંધમાં વત્તે ઓછે અંશે આશાઓ સેવતા હોઈએ છીએ. પુરુષને સ્ત્રી પ્રત્યે આ એક બહુ મોટી આશા રહેલી હોય છે કે એ તેને ઝખ્મો પર મરહમ લગાડી આપે. અને જે સ્ત્રી આ કામ કરે છે, એને પુરુષ છડે ચોક એ વાતનું ક્રેડીટ આપે જ છે. તમે ઘણા દાદાઓને એવું કહેતા સાંભળ્યા હશે કે તમારી દાદીએ મને ન સંભાળ્યો હોત તો આ બંદો તો ક્યારનોય ખુદાને પ્યારો થઇ ચુક્યો હોત…

“દેતે ન આપ સાથ તો મર જાતે હમ કભી કે

પૂરે હુએ હૈ આપસે અરમાન ઝીંદગી કે

હમ ઝીંદગી કો આપકી સૌગાત કહેંગે

તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે.. “

 0મેં પ્રેમને હંમેશા ચરમસીમાએ જ જોયો – ઓળખ્યો છે. અને મારા માટે પ્રેમની વ્યાખ્યા એ જ છે કે સમર્પિત થઇ જવું અને સમર્પિતભાવ ભોગવવો. અહીં એવું બિલકુલ ન સમજતા કે આ જ સાચો પ્રેમ છે એવું હું કહી રહ્યો છું. ઇન ફેક્ટ હું તો કબૂલું છું કે સંપૂર્ણ સમર્પિતભાવનો આગ્રહ રાખવો એ ખોટી વાત છે. પણ સાચો ખોટો જેવો છું એવો પ્રગટ થવાનો અત્રે મેં પ્રયત્ન કર્યો છે. હું પઝેસીવ પણ ઘણો અને ઉપર વાત કરી તેમ ઝખ્મો પર મરહમની ઝંખનાવાળો પણ ખરો. છતાંયે સામેના પાત્રની લાગણીઓને સમજવાનો આગ્રહી પણ ખરો. જો કોઈ પોતાની લાગણીઓ કહી શકતું ન હોય તો આપણે સામેથી એ વાતનો ઉલ્લેખ કરી દેવાય. હું એવું કરી શકું છું કે કેમ એની ખબર નથી, પણ એટલી ખબર છે કે આ ગીત ખુબ જ મીઠડું છે, અને તરબતર કરી દે તેવું છે. ઇન્જોય એવરી મુમેન્ટ ઓફ લવ… એન્ડ ટ્રાય ટૂ કીપ ઓલ ધી પ્રોમીસીસ યુ ગીવ…

 “ચાહેંગે, નીભાયેંગે , સરાહેંગે આપ હી કો

આંખોં મેં દમ હૈ જબ તક દેખેંગે આપ હી કો

અપની ઝુબાં સે આપકે જઝબાત કહેંગે

તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે… “

 

કોરા કાગઝ થા યે મન મેરા….

ફિલ્મ – આરાધના

વર્ષ – ૧૯૬૯

ગીત – કોરા કાગઝ થા યે મન મેરા….

ગાયક – કિશોર કુમાર , લતા મંગેશકર

ગીતકાર – આનંદ બક્ષી

સંગીત – એસ. ડી. બર્મન

મન ! આ મન પર કેટકેટલી બાબતો અસર કરતી હોય છે. ક્યાંક આપડાથી કોઈને કશું ખોટું કહેવાઈ જાય , અને પછી તરત અહેસાસ થાય કે કદાચ મારી આ વાત થી સામેAradhna1969 વાળાની લાગણી દુભાશે તો તરત આપડે કહીશું કે ભાઈ મારી વાત ને તું મન પર ના લેતો. કારણ કે આપણ ને ખબર છે કે  મન ખુબ સંવેદનશીલ હોય છે. બધી સંવેદનાઓ નું ઘર મન છે તો મનમાં આ સંવેદનાઓ આવી ક્યાં થી ? વેલ અફકોર્સ નેચરલ્લી જ આવી પણ શેના કારણે આવી ? કોના માટે આવી ? અને હું મુખ્ય સંવેદન વિજાતીય પ્રેમ પર આવું તો મારા માં એ સંવેદન ફિલ્મો ના લીધે જ આવ્યું , અને તમે પણ કદાચ કબૂલ કરશો કે પ્રેમલા પ્રેમલી ની ફિલ્મો જોઇને જ તમને જીવનમાં સૌ પ્રથમ વખત વિજાતીય પ્રેમ નો ઇન્ટરોડકશન મળ્યો હશે. મારું મન પણ હતું કોરા કાગળ સમાન પણ ફિલ્મો જોઈ ને એના પર પ્રેમનો રંગ વિખરાયો.

પ્રેમની વેકેન્સી તો ખુલી ગઈ , હવે એ વેકેન્સી પર કોઈને એપોઇન્ટ કરવાનો વારો આવ્યો. અરજીઓ પણ ખૂબ આવી. કોઈના સ્વીટ ચહેરા એ અરજી આપી તો કોઈ હસીના ની ઘટાદાર ઝુલ્ફો એ ! કોઈ એ પોતાની અરજીમાં માસુમિયત ની લાગવગ લગાવી તો કોઈ એ કાતિલ આંખો ના તીર નો ખતરો બતાવી ને મને નિશાનો બનાવ્યો. જોત જોતામાં કોરા કાગળ પર કેટકેટલું ચિતરાતું ગયું ! વેલ , પ્રેમમાં પડેલું હૃદય તો હંમેશા પવિત્ર જ હોય છે , ઇન ફેક્ટ એતો દુનિયા નું સૌથી પવિત્ર હૃદય છે – અને એવા પવિત્ર હૃદય પર કોઈ નું નામ લખાય ત્યારે જેનું નામ લખાયું હોય એ વ્યક્તિ એ ધન્યતા ની લાગણી અનુભવવી જોઈએ. પણ મેં કહ્યું તેમ , એ હૃદય પવિત્ર હોય છે , મન સાફ હોય છે , પણ કોરું નથી હોતું . ફિલ્મનું આ ગીત સાંભળવામાં મધુરું છે , શબ્દો સરસ અને હાઈલી રોમેન્ટિક છે , પણ સાઈકોલોજીકલ તથ્ય એના કરતા કૈક જુદું છે ( અને ગીતો માં તથ્યો શોધવાનાય ના હોય , એને તો ફક્ત એન્જોય કરવાના હોય ) મારા મત મુજબ મન ક્યારેય કોરું નથી હોતું , એના પર ઘણું બધું લખાય છે , ભૂંસાય છે , ચિતરાય છે , અને આ બધી પ્રક્રિયાઓ માંથી પસાર થયા પછી જ મન કોઈ નક્કર નિર્ણય પર આવે છે – કે હા , હવે એ વેકેન્સી પર તું પર્મેનેન્ટલી એપોઇન્ટ થઇ ! મારા જીવનના સુના આંગન માં પ્રેમ સ્વરૂપે વસી ગઈ …..

“કોરા કાગઝ થા યે મન મેરા

લીખ દિયા નામ ઇસ પે તેરા

સુના આંગન થા જીવન મેરા

બસ ગયા પ્યાર જિસ પે તેરા…..”

                 દીવા સ્વપ્નો તો ઘણાય હોય , પણ એમાંનું કોઈ સપનું જયારે હકીકત બનતું દેખાવા લાગે ત્યારે ખુબ ડર લાગે કે ક્યાંક આ સપનું તૂટી ના જાય ! સપનું જ્યાં સુધી સપનું જ રહે છે ત્યાં સુધી કોઈ ડર નથી , પણ જેવું એ બીજ , નમણા છોડ નું સ્વરૂપ ધારણ કરે છે તેવું તરત તેને કઈ થઇ તો નહિ જાય ને ? એવો ભાવ મનમાં ઉદભવે છે. પ્રિયજન ને સપનામાં પોતાની સાથે જોયા હોય , અને ખરેખર માં એ આપડા પ્રેમ નો સ્વીકાર કરે , પોતાના જીવનમાં સ્થાન આપે …. પોતાનો પ્રેમ આપે ….. પછી ? પછી પ્રેમ જ્યાં સુધી નવો નવો હોય ત્યાં સુધી ખુબ ડર લાગે કે એ છોડી ને તો નહિ જતી રહે ને ? એની સાથે આખી જિંદગી સાથે વિતાવવાનું મારું સપનું સાચું તો થશે ને ? નહિ થાય તો ? કોઈ અડચણ આવશે તો ? તારી કજરારી અને મતવાલી આંખો ના ઈશારા દિલને ટાઢક તો આપે છે , પણ સાથે સાથે મનમાં ડર પણ જન્માવે છે કે મનના દર્પણમાં જેનું રૂપ મેં વસાવ્યું છે , એ દર્પણ તૂટી તો નહિ જાય ને !?

“તૂટ ના જાયે સપને મેં ડરતા હૂં

નીસ દિન સપનો મેં દેખા કરતા હૂં

નૈના કજરારે …. મતવારે …. યે ઈશારે

ખાલી દર્પન થા યે મન મેરા ,

રચ ગયા રૂપ ઇસ મેં તેરા…..”

                       નવો નવો પ્રેમ થયો હોય એ વ્યક્તિ ને ચૈન સાથે કોઈ સંબંધ ન હોય , માત્ર બેચેની હોય , નીંદર કરતા વધારે સપનાઓ સાથે સંબંધ હોય , સુતી વખતે જેટલા સપના દેખાય એથી વધુ સપનાઓ જાગતા દેખાય. અને એ જાગતા દેખાતા સપનાઓ ને લીધે ક્યારેક એવું બને કે આખી રાત ઉંઘ ન આવે ! માત્ર સપના આવે – જાગતા સપના . અથવા તો પછી એ માણસ યાદો ને મમળાવ્યા કરે – મીઠી , મધુરી યાદો. અને આબધી વાતો થી મન ખુશ છે , સંતુસ્ટ છે , અને પરમ આનંદિત છે , આ યાદોમાં , આ શમણાઓ માં , આ ક્ષણો માં , પ્રેમની આ અનુભૂતિ માં માત્ર આનંદ જ નહિ , આનંદ ની ચરમ સીમા છે – મારા મનમાં આ આનંદ તારા થકી છે – મારું મન હવે તારું મિત છે , અને જે મન તારું મિત નહોતું એ તો જાણે કોઈ દુશ્મન હતું ….

“ચૈન ગવાયા મૈને નીંદિયા ગવાયી

સારી સારી રાત જાગું દૂ મેં દુહાઈ

કહું ક્યા મેં આગે … નેહા લાગે … જી ના લાગે ..

કોઈ દુશ્મન થા યે મન મેરા

બન ગયા મિત જા કે તેરા ..”

અને ક્યારેક વિચાર આવે કે આ બધું એનું એ જ તો હતું , એજ સુરજ , એ જ ચાંદ , એજ વૃક્ષો ,એજ બગીચો અને એ જ રસ્તાઓ …. પણ એ બધા થી મને કોઈ લગાવ નહોતો , જે તારા આવ્યા પછી થયો છે. તું એ ગલી ના વળાંક પર આવી ને મળી ગઈ પછી તો માત્ર એ વળાંક જ નહિ , ગલી જ નહિ , બલકે એ ગલીના દરેક વૃક્ષો , પક્ષીઓ અને રસ્તા પર ખરી ને પડેલા પાંદડાઓ સાથે પણ મને પ્રીત થઇ ગઈ. મારી અંદર શબ્દો નો સાગર પણ મારી જાણ બહાર પડેલો હતો , જે તારી સાથેની વાતો થકી છલકાવા લાગ્યો, તારી સાથેની મુલાકાતોમાં , રળિયામણી રાતોમાં તૂટેલા તારા જેવો આ મુસાફિર તારા પ્રેમ થકી રોશન થઈ ને ચાંદ બની ગયો , તારી કિસ્મતનો , તારા થકી , તારા માટે – આ ચાંદ ….

“બાગો મેં ફૂલો કે ખીલને સે પહેલે

તેરે મેરે નૈનો કે મિલને સે પહેલે

કહા થી યે બાતે… મુલાકાતે … ઐસી રાતે …

તૂટા તારા થા યે મન મેરા

બન ગયા ચાંદ હોકે તેરા …”

THIS DIWALI, FEEL SOME DARD !

એક બીજો લેખ , “મેરી કહાની , ગીતો કી ઝુબાની” હારમાળાનો. એટલે દિવાળી માટે હાલ પુરતું તો તમને પીરસવા માટે મારી પાસે કોઈ સ્પેશીયલ દિવાળી મીઠાઈ નથી. એ જ જુનો બાજરા નો રોટલો છે જે હું તમને હંમેશા પીરસતો આવ્યો છું, પણ દિવાળી છે તો સાથે ગોળ પણ મુક્યો છે તમારું મોઢું મીઠું કરવા. અને એ ગોળ છે મારી આપ સૌને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ, અને શુભ દીપાવલી. આપની જીંદગી નું આ વર્ષ મંગલમય રહે , એ જ પ્રભુ ને પ્રાર્થના. નવા વર્ષમાં બધા મિત્રોને ફોન કરીને સાલ મુબારક કહેતો હોઉં છું, આપ સૌના નંબર હોત તો નવા વર્ષમાં આપ સૌની સાથે પણ વાત કરત, પણ વાત નથી થઇ શકી તોય મને લાગે છે કે હું આપ સૌને બેસ્ટ રીતે સાલ મુબારક કહી શક્યો છું કારણ કે પહેલા તો આ જ રીવાજ હતો ને ! દિવાળી કાર્ડ , પોસ્ટ કાર્ડ! સો ધીસ ઈઝ માય દિવાળી કાર્ડ ટૂ યુ ! ગમ્યું ? તો પ્રિન્ટ કાઢી લેજો હો ને ?

ફિલ્મ – અનુરોધ
વર્ષ – ૧૯૭૭
ગાયક – કિશોર કુમાર
ગીતકાર – આનંદ બક્ષી
સંગીત – લક્ષ્મીકાંત પ્યારેલાલ
ઢળતી સાંજ હતી, મારું મન ઉદાસ હતું, શહેરની ભીડ વચ્ચે હું રસ્તા પર ચાલતો જઈ રહ્યો હતો ત્યાં જ કિશોર કુમારનો સુરીલો અવાજ કાને પડ્યો. એક ગીત, જે પહેલા ક્યારેય સાંભળેલું નહોતું,કોઈક દુકાનમાં વાગી રહ્યું હતું. જે સાંભળતાવેંત જ મન રિલેક્સ થઇ ગયું. શું શબ્દો હતા બાકી ! દિલ પોકારી ઊઠયું .. આફરીન ! આફરીન!
“જબ દર્દ નહિ થા સીનેમેં તબ ખાખ મઝાથા જીને મેં , અબ કે શાયદ હમભી રોયે, સાવનકે મહીનેમે..”
સંઘર્ષ વિનાનું જીવન બધા ઝંખતા હોય છે, પણ આપણે બોસ જરા જુદી માટીના…., સંઘર્ષ તો જોઈએ જ, જો બધું બરાબર ચાલતું હોય તો ના હોય ત્યાંથી સંઘર્ષ ઊભો કરવાવાળાઓની એક જમાત હોય છે, જેમાં હું પણ આવું છું. છેલ્લે કઈ નઈ તો મગજમાં કોઈ વિચારોનો સંઘર્ષ તો ચાલુ જ હોય, અને આ પ્રકારના માનસિક સંઘર્ષ સેન્સીટીવ લોકોને જ થાય. બાકીના લોકો ખાલી અક્ષય કુમાર વાળું “સંઘર્ષ” ફિલ્મ જોઈ શકે! (બાપુ, હથોડા ના મારો !!! )
દર્દનો પણ એક નશો છે યાર, દારૂડિયા તો ઘણા હોય, પણ એ બધા કઈ દેવદાસના હોય. (એક આડવાત કરી લઉં, કે અમુક લોકો એમ માને છે કે દેવદાસ નું પાત્ર નથી સારું. એણે દારુ પીને શું ધાડ મારી? એણે પારો સાથે શું ન્યાય કર્યો? પણ એવું નથી ભાઈ, જરા સમજો! એણે પારો સાથે ખોટું કર્યું એનો એને પસ્તાવો છે, અને તે દારૂડિયો થઇ જાય છે તે તેના પસ્તાવાની પરાકાષ્ઠા છે. height of guilt. એવી પ્રેમની કે પસ્તાવાની પરાકાષ્ઠા પર સેન્સીટીવ માણસ જ જઈ શકે, દેવદાસ જ જઈ શકે. પણ જે લોકો જીવનમાં ખાલી નાકે સુધી શાક લેવા જ ગયા હોય તે શું સમજી શકવાના કે પ્રેમની પરાકાષ્ઠાએ કઈ રીતે જવાય! ) દુનીયા કે સમાજ તમારા દુઃખને લાફ્ટર ચેલેન્જનો શો સમજે છે,(સાચું કહું છું યાર, લોકોને બીજાના દુઃખ પર હસવાના વિકૃત શોખ હોય છે,મેં તો થીયેટરમાં પણ જોયું છે, ફિલ્મનું કોઈ મુખ્ય પાત્ર પોતાના અંતિમ શ્વાસો ગણી રહ્યું હોય અને ક્યાંકથી હસવાનો અવાજ આવે! ) કારણ કે એમને કોથમીરના ભાવ જ ખબર હોય , હૃદયના ભાવ આ બેદર્દ દુનિયા શું જાણવાની,(હે દુનિયા, તું મારા પર હસે છે અને હું તારા પર! તું કેવી દયનીય છે, લોકોના દુઃખ પર હસે છે! ઈશ્વરે તને સંવેદનાઓ જ નથી આપી, પુઅર બેબી!) એટલે જ તો આ ગીતની શરૂઆતમાં જ દુનિયાની ફિતરતને ધ્યાનમાં રાખીને એક મસ્ત શેર કહેવામાં આવ્યો છે,
“ના હસના મેરે ગમ પે , ઇન્સાફ કરના,
જો મેં રો પડું તો , મુજે માફ કરના .”
ચાર્લી ચેપ્લિનનું એક વિધાન છે કે હું વરસાદમાં રડવાનું પસંદ કરું છું, જેથી કોઈને મારા આંસુ ના દેખાય. એના પરથી જ કદાચ ગીતકારે આ ગીતમાં શબ્દો લીધા હશે “અબ કે શાયદ હમભી રોયે, સાવનકે મહીનેમે..”
હીરો ઘસાયો છે એટલે ચમક્યો છે , મનમાં વિચારોના સંઘર્ષ થયા છે , એટલે દિમાગ ફળદ્રુપ બન્યું છે અને એટલે જ કહ્યું છે કે “જબ દર્દ નહી થા સીનેમેં તબ ખાક મઝા થા જીનેમેં“
*અંતરો ૧
જોકે દુનિયાની જેમ મારો પણ સ્વભાવ છે, બીજાના દુઃખ કરતા પોતાનું દુઃખ જ હંમેશા મોટું લાગે! ભાગ્યે જ કોઈક ની વાત, કોઈક નું દર્દ સ્પર્શી જાય, હા માનું છું કે મેં હમણાં જ ઈમોશનલ હોવાના દાવા કર્યા, જે હવે ખોટા સાબિત થતા હોય, તો એમ રાખો, પણ ક્યારેક મને પણ કોઈ મિત્રની કોઈ વાત સ્પર્શી જાય છે (જોકે મોટેભાગે એમાં પણ એવું હોય કે એ મિત્રનું દુઃખ પોતાના કોઈ દુઃખ સાથે સામ્ય ધરાવતું હોય ત્યારે આપણને તે વાત વધારે સ્પર્શે, ઓલો કોઈક જાણીતા શાયરનો કોઈક જાણીતો શેર છે ને કે – દૂસરો કે દર્દ પર કોન રોતા હૈ, વો તો અપને હી કિસી ગમ કો યાદ કર કે રોયા હોગા. શબ્દો જરા આગળ પાછળ હશે પણ શેર કૈક આવો જ છે, કદાચ અહેમદ ફરાઝ નો છે.) નામ નહિ કહું, પણ મારો એક મિત્ર છે ત્રીસેક વર્ષનો. એના જીવન ના પ્રેમ પ્રકરણની એણે વાત કાઢેલી અને પછી બોલતા બોલતા એ એવડી એ છોકરીને યાદ કરીને રડી પડેલો.
યારો કા ગમ ક્યા હોતા હૈ,
માલૂમના થા અન્જાનો કો,
સાહિલ પે ખડે હોકે અક્સર દેખા હમને તુફાનો કો,
અબ કે શાયદ દિલ ભી ડૂબે મોજો કે સાફિને મેં, જબ દર્દ નહિ થા…

*બીજો અંતરો
મારી પણ આદત એવી કે હશે યાર, જવા દો, ભૂલી જાઓ, થઇ ગયું, પતી ગયું….પણ ક્યાં સુધી? પહેલા ક્યારેય નહોતો રડતો પણ હવે ક્યારેક મને પણ રડવું આવી જાય છે, અને જયારે આવે છે, ત્યારે ભરપુર આવે છે, હૃદય પહેલા કદાચ વધારે મજબુત હશે….
ઐસે તો ઠેસ ના લગતી થી,
જબ અપને રૂઠા કરતે થે,
ઐસે તો દર્દ ના હોતા થા,
જબ સપને તૂટા કરતે થે,
અબ કે શાયદ દિલ ભી તૂટે,
અબ કે શાયદ હમ ભી રોયે, સાવન કે મહીને મેં
જબ દર્દ નહિ થા…

ત્રીજા અંતરામાં બહુ પ્રેક્ટીકલ વાત કીધી છે, કોઈ કોઈને ગમ્મે તેટલું ચાહતું હોય, પણ તે ના હોય ત્યારે તેના વગર પણ તે રહેતા શીખી લે છે,
ઇસ કદર પ્યાર તો કોઈ કરતા નહી,
મરનેવાલોં કે સાથ કોઈ મરતા નહીં

અને ગીતની આ બે લાઈન….આહ! “પ્યાસા” નો ગુરુદત્ત યાદ અપાવી દે છે
આપકે સામને ફિર ના મેં આઊંગા,
ગીત હી જબ ના હોંગે તો ક્યા ગાઉગા,
(આડવાત – “પ્યાસા” ની રીમેક બની રહી છે જેમાં આમીર ખાન અને કેટરીના મુખ્ય ભૂમિકામાં નજર આવશે )

આમીર ખાન અને કેટરીના- “પ્યાસા”ની રીમેકમાં


અને છેલ્લે ગીતમાં ફિલ્મનું પાત્ર (રાજેશ ખન્ના) રીક્વેસ્ટ કરે છે કે જો તમને મારો અવાજ સારો લાગ્યો હોય તો એટલું કરજો કે મારો એક મિત્ર મરણ પથારીએ છે, એ બચી જાય એવી પ્રાર્થના કરજો
મેરી આવાઝ પ્યારી હૈ તો દોસ્તો…
યાર બચ જાયે મેરા…. દુઆ! સબ કરો….
અને છેલ્લે હું એ રીક્વેસ્ટ કરું છું કે જો તમને મારું લખાણ સારું લાગતું હોય તો પ્લીઝ નીચે આપેલી લીંક પર ક્લિક કરી ને આ ગીત સાંભળો કારણ કે આ ગીત મારા ખૂબ ગમતીલા ગીતો માંનું એક છે…