અરે આ હિંદુ- મુસ્લિમના તોફાનો રોકવા માટે નેતાઓ એ કઈ કરવું જોઈએ ! અરે… સોરી, નેતાઓનું કામ આ તોફાનો રોકવાનું થોડું છે… એમનું કામ તો…! વેલ, નેતાઓ ની વાત છોડો, પોલીસ શું કરે છે? તો ભાઈ પોલીસે એક ખુબ જ વખાણવા જેવું કામ કર્યું છે. અમદાવાદની પોલીસ સાંપ્રદાયિક રમખાણો રોકવા એક ફિલ્મ બનાવી રહી છે. ફિલ્મના બે મુખ્ય પાત્ર ૧૯૪૬ની રમખાણોમાં મૃત્યુ પામેલા હિંદુ અને મુસલમાન દોસ્ત છે , જેઓ લોકોનો જીવ બચાવતા બચાવતા મૃત્યુ પામ્યા હતા. વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલ કોમી હુલ્લડો પર બનેલી કેટલીક ફિલ્મોને સરકાર અથવા ભાજપ સાથે જોડાયેલ સંસ્થાઓએ ગુજરાતમાં રીલીઝ નહોંતી થવા દીધી. પણ પોલીસ દ્વારા આ જે કામ હાથ ધરાયું છે, તેને કોઈ નહીં રોકી શકે.
હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લોકોમાં જાગૃતિ લાવવા અને ભાઈચારાની ભાવના વધારવાના હેતુથી ફિલ્મ બનાવી રહ્યું છે. આ એજ ક્રાઈમ બ્રાંચ છે જેના મુખિયા ડીજી વણજારા , અભય ચુડાસમા અને જીએલ સિંઘલ કેટલાક ખોટા તોફાનોને મુદ્દે જેલ ભેગા થઇ ચુક્યા છે.તેમના પર કેટલાક લોકો પર અત્યાચાર ગુજાર્યા હોવાનો આરોપ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ના ડીપ્ટી કમિશ્નર ઓફ પોલીસ હિમાંશુ શુક્લે જણાવ્યું, “ફિલ્મ અમદાવાદના બે દોસ્ત વસંત રાવ અને રજબ લખાની ની વાર્તા સંભળાવીને લોકોને હળી મળીને રહેવા અને કોમી તોફાનો થી દૂર રહેવા પ્રેરિત કરશે.” તેઓ કહે છે, “અમે શહેરના મોટા દિવસ , રથયાત્રા , ઈદ અને દિવાળી જેવા દિવસો પર આને દેખાડીશું.” સ્વતંત્રતા સેનાની અને સેવા દળના સભ્ય વસંત અને રજબ ૧ જુલાઈ ૧૯૪૬ ની રથયાત્રા વખતે થયેલા તોફાનોમાં લોકોનો જીવ બચાવતા બચાવતા મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુ પર ગાંધીજીએ પણ બીજા દિવસે પૂણેમાં નિવેદન આપ્યું હતું. અમદાવાદમાં પાછલા કેટલાક વર્ષોથી ૧ જુલાઈને કોમી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ ફિલ્મ કોમી ભાઈચારાનો સંદેશ આપશે. અમદાવાદ શહેરની વચ્ચે વસંત અને રજબ નામનો એક ચોક પણ બનેલો છે, પણ બીજેપીની કોઈ પણ સરકારે તેની ક્યારેય પણ કોઈ ખબર નથી લીધી. ફિલ્મ સહીત ક્રાઈમ બ્રાન્ચ સાંપ્રદાયિક ભાઈચારા માટે એક વસંત-રજબ ગેલેરીનું પણ નિર્માણ કરી રહી છે. આ ગેલેરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસ – ગાયકવાડ હવેલીમાં બનશે. શુક્લ જણાવે છે, “ફિલ્મ સહીત અમે ૨૦૦ વર્ષ જૂની ગાયકવાડ હવેલીના સંરક્ષણ પર પણ કામ કરી રહ્યા છીએ. આ હવેલીમાં અમે ગુજરાત પોલીસનું મ્યુઝીયમ બનાવીશું અને સાંપ્રદાયિક એકતાનો સંદેશ આપવા માટે એક ગેલેરી પર પણ કામ થશે.”