Movie Review: ‘ધી લાસ્ટ ડોન’ છે એક રીયાલીસ્ટીક સર્જન

‘ધી લાસ્ટ ડોન’ એ એક ક્રાઈમ થ્રીલર ફિલ્મ છે.ફિલ્મના દિગ્દર્શક શ્રવણ કુમાર છે. અને નિર્માતા – આશુતોષ પટેલ. આ એ જ શ્રવણ કુમાર10012579_778366472235470_6104621191237837468_n છે જેમણે થોડા સમય પહેલા આવેલી ગુજરાતી ફિલ્મ ‘ધી એડવોકેટ’ બનાવેલી. ફિલ્મમાં અભય ભટ્ટનાગર (જે એક્સ. ચેસ ચેમ્પિયન પણ છે અને ટ્રેઈની આઈપીએસ ઓફિસર છે ) અમદાવાદના પોલીસ સ્ટેશને ડ્યુટીમાં જોડાય છે, અને એ જ દિવસે માફિયા કિંગ બડે નવાબ મૃત્યુ પામે છે. આ માફિયા કિંગનો પુત્ર પોતાના પિતાની અંતિમ ક્રિયા પહેલા એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાનું પ્રણ લે છે અને અભય ભટ્ટનાગર એને રોકવાના પ્રયત્નોમાં લાગી જાય છે પણ થોડા જ સમયમાં તે જાણી જાય છે કે છોટે નવાબ એના કરતા ઘણા વધારે પાવર ધરાવે છે કારણ કે પોલીસ ડીપાર્ટમેન્ટ ના જ કેટલાક લોકો છોટે નવાબ માટે કામ કરે છે. અને પછી અભય ભટ્ટનાગર નવાબને એના જ માણસોનો ઉપયોગ કરીને હરાવે છે, એ કઈ રીતે? એ માટે ફિલ્મ જોવી રહી.

આ માફિયા ફિલ્મની કથા અમદાવાદની ભૂમિ પર આકાર લે છે. જેમાં ગેરકાયદેસર રીતે થતા દારૂના વેપારને કથાબિંદુ તરીકે રજુ કરવામાં આવેલ છે. ફિલ્મના મોટાભાગના દ્રશ્યોમાં કેમેરાનો ઉપયોગ હાથેથી પકડીને કરવામાં આવ્યો છે, ફિલ્મની મુખ્ય ભૂમિકાઓમાં ધ્વની ગૌતમ, ભરત ઠક્કર, વિકાસ ગુપ્તા, રાજીવ પાઠક અને ઈલેશ શાહ જેવા કલાકારો છે.આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેની વાર્તા છે. વાર્તા એક ફ્રેશ ફિલ આપે છે અને કૈક નવું જોવાની દર્શકની ભૂખને પણ સંતોષે છે. અને સોનામાં સુગંધ ભળે તેમ આ ફિલ્મના ડાયલોગ્સ પણ કાબિલે તારીફ છે. આ પ્રકારની થ્રિલર ફિલ્મ માટે ડાયલોગ્સ ઘણું મહત્વ ધરાવે છે. સારા ડાયલોગ્સ અડધી બાજી જીતાડી દે છે. ‘ધી લાસ્ટ ડોન’ને પણ તેના ડાયલોગ્સ ફળ્યા છે. એ જ રીતે ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ લાજવાબ છે. કેટલાક દ્રશ્યોનું ફિલ્માંકન અત્યંત લાજવાબ છે. નવાબ ક્રુરતાથી લોકોને સળગાવી મુકે છે એ દ્રશ્યો હચમચાવી નાંખે તેવા છે. બડે નવાબ અને છોટે નવાબ વચ્ચેના સંવાદનું દ્રશ્ય પણ ખુબ સુંદર રીતે એક્ઝીક્યુટ થયું છે.

 ઓસમાણ મીરનું ગીત ‘એ ખુદા’ અદભુત રીતે ગવાયું છે. ફિલ્મમાં ચોક્કસ સમયે આવતું આ ગીત ફિલ્મની ફીલને એક અલગ ઊંચાઈ પર લઇ જાય છે. જીગર દવેના લીરીક્સ એપ્રોપ્રીએટ છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોરનો ઘણો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી ફિલ્મને કોઈ નુકસાન થયું નથી. અને જે દ્રશ્યોમાં બેકગ્રાઉન્ડ સ્કોર વપરાયો છે એ રૂટીન છે. ફિલ્મના મુખ્ય બે કલાકારોએ અભિનયમાં ક્યાંય કચાશ રાખી નથી. અભય ભટ્ટનાગર ના પાત્રમાં ધ્વની ગૌતમ અને છોટે નવાબના પાત્રમાં ભરત ઠક્કર. ઇન્સ્પેકટરના પાત્રમાં અન્ડર એક્ટ કરીને પણ છાપ છોડવી – ઇટ્સ અ ટફ જોબ, એન્ડ ધ્વની ગૌતમ હેઝ ડન ઈઝ વેલ. છોટે નવાબની ભૂમિકા ભરત ઠક્કરની પર્સનાલીટીને સુટ કરે છે. ફિલ્મના બીજા કલાકારોએ પણ પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે.

 બોલીવૂડમાં ૮૦ના દાયકામાં જે ઉત્તમ પ્રકારની ઓફ બીટ રીયાલીસ્ટીક ફિલ્મો બનતી હતી, એવી છેલ્લા ઘણા વર્ષોથી જોવા નથી મળી. આજના સમયમાં રીયાલીસ્ટીક અને ઓફ બીટ સિનેમાનો ઉત્તમ નમૂનો છે – ‘ધી લાસ્ટ ડોન’. આ ફિલ્મને જોવી ચૂકશો નહીં કારણ કે કદાચ આ એ જ વાર્તા છે જેની તમારી અંદરના દર્શકને વર્ષોથી ભૂખ હતી. અને કદાચ આ એ જ ફિલ્મ છે જે તમને કશુક અલગ માણવાનો સંતોષ આપશે. ગો ફોર ઈટ.

વસંત અને રજબ નામના બે શહીદ

અરે આ હિંદુ- મુસ્લિમના તોફાનો રોકવા માટે નેતાઓ એ કઈ કરવું જોઈએ ! અરે… સોરી, નેતાઓનું કામ આ તોફાનો રોકવાનું થોડું છે… એમનું કામ તો…! વેલ, નેતાઓ ની વાત છોડો, પોલીસ શું કરે છે? તો ભાઈ પોલીસે એક ખુબ જ વખાણવા જેવું કામ કર્યું છે. અમદાવાદની પોલીસ સાંપ્રદાયિક રમખાણો રોકવા એક ફિલ્મ બનાવી રહી છે. ફિલ્મના બે મુખ્ય પાત્ર ૧૯૪૬ની રમખાણોમાં મૃત્યુ પામેલા હિંદુ અને મુસલમાન દોસ્ત છે , જેઓ લોકોનો જીવ બચાવતા બચાવતા મૃત્યુ પામ્યા હતા. વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલ કોમી હુલ્લડો પર બનેલી કેટલીક ફિલ્મોને સરકાર અથવા ભાજપ સાથે જોડાયેલ સંસ્થાઓએ ગુજરાતમાં રીલીઝ નહોંતી થવા દીધી. પણ પોલીસ દ્વારા આ જે કામ હાથ ધરાયું છે, તેને કોઈ નહીં રોકી શકે.

f6d5856e77f8b81bca86a9a8777f6765_L

હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લોકોમાં જાગૃતિ લાવવા અને ભાઈચારાની ભાવના વધારવાના હેતુથી ફિલ્મ બનાવી રહ્યું છે. આ એજ ક્રાઈમ બ્રાંચ છે જેના મુખિયા ડીજી વણજારા , અભય ચુડાસમા અને જીએલ સિંઘલ કેટલાક ખોટા તોફાનોને મુદ્દે જેલ ભેગા થઇ ચુક્યા છે.તેમના પર કેટલાક લોકો પર અત્યાચાર ગુજાર્યા હોવાનો આરોપ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ના ડીપ્ટી કમિશ્નર ઓફ પોલીસ હિમાંશુ શુક્લે જણાવ્યું, “ફિલ્મ અમદાવાદના બે દોસ્ત વસંત રાવ અને રજબ લખાની ની વાર્તા સંભળાવીને લોકોને હળી મળીને રહેવા અને કોમી તોફાનો થી દૂર રહેવા પ્રેરિત કરશે.” તેઓ કહે છે, “અમે શહેરના મોટા દિવસ , રથયાત્રા , ઈદ અને દિવાળી જેવા દિવસો પર આને દેખાડીશું.” સ્વતંત્રતા સેનાની અને સેવા દળના સભ્ય વસંત અને રજબ ૧ જુલાઈ ૧૯૪૬ ની રથયાત્રા વખતે થયેલા તોફાનોમાં લોકોનો જીવ બચાવતા બચાવતા મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુ પર ગાંધીજીએ પણ બીજા દિવસે પૂણેમાં નિવેદન આપ્યું હતું. અમદાવાદમાં પાછલા કેટલાક વર્ષોથી ૧ જુલાઈને કોમી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ ફિલ્મ કોમી ભાઈચારાનો સંદેશ આપશે. અમદાવાદ શહેરની વચ્ચે વસંત અને રજબ નામનો એક ચોક પણ બનેલો છે, પણ બીજેપીની કોઈ પણ સરકારે તેની ક્યારેય પણ કોઈ ખબર નથી લીધી. ફિલ્મ સહીત ક્રાઈમ બ્રાન્ચ સાંપ્રદાયિક ભાઈચારા માટે એક વસંત-રજબ ગેલેરીનું પણ નિર્માણ કરી રહી છે. આ ગેલેરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસ – ગાયકવાડ હવેલીમાં બનશે. શુક્લ જણાવે છે, “ફિલ્મ સહીત અમે ૨૦૦ વર્ષ જૂની ગાયકવાડ હવેલીના સંરક્ષણ પર પણ કામ કરી રહ્યા છીએ. આ હવેલીમાં અમે ગુજરાત પોલીસનું મ્યુઝીયમ બનાવીશું અને સાંપ્રદાયિક એકતાનો સંદેશ આપવા માટે એક ગેલેરી પર પણ કામ થશે.”

કભી ખુદ પે હંસા મેં ઔર કભી ખુદ પે રોયા

ફિલ્મ – રોક ઓન

વર્ષ – ૨૦૦૮

ગીત- મેરી લોન્ડ્રી કા ઇક બિલ

ગાયક – ફરહાન અખ્તર

ગીતકાર – જાવેદ અખ્તર

સંગીત- શંકર અહેસાન લોય

 

૨૦૦૮ નું એ વર્ષ હતું ત્યારે મારી આ જ જીવનશૈલી… અભિગમ .. હતો , જે આ ગીત માં છે. બેફિકરો, છતાં વ્યસ્ત. કામ એવા જે બીજા બધા માટે કદાચ નાખી દીધા જેવાrock-on-2008-200x275 લાગે પણ મારા માટે સૌથી અગત્યના. અને એ કામો પાછળ દિવસભરની વ્યસ્તતા. અને એ વ્યસ્તતા ના સંભારણા આજે પણ અકબંધ છે. મુવી જોવા જવું, કે મિત્રો સાથેની રોજ મોડી રાત સુધી રખડપટ્ટી . અને હા, મારી પેલી નવલકથા – “સળગતા શ્વાસો” પણ ખરી ને ! આ નવલકથા જ્યારે લખાઈ રહી હતી ત્યારે ઘણા બધા મિત્રો એને જેમ જેમ લખાતી તેમ તેમ વાંચતા. અરે એવી મહેફીલો પણ જામતી જેમાં મિત્રો ટોળે વળીને બેઠા હોય, ને હું નવલકથા વાંચતો હોઉં , અને એમના પ્રતિભાવ ઝીલતો હોઉં. ઓલી ફિલ્મો માં હોય છે ને – હીરો જોડે ગીટાર . એમ મારી પાસે મારી નવલકથા ! જે પૂરી ન થઇ ત્યાં સુધી અધુરી રહી, અને રોજ સવાર પડતા મને યાદ આવતી મારી એ અધૂરી નવલકથા. વાર્તા પ્રમાણે ઘણા પડકારો પણ આવતા ગયા, અને એ ઝીલવાની ખૂબ મઝા પડેલી. એક બે મુદ્દા એવા હતા જે ઊંડું રિસર્ચ માંગીલે એવા હતા. અને એ રિસર્ચ મેં દિલો જાનથી કરેલું. ૧ ) મેડીકલ ને લગતું રિસર્ચ, જેમાં પપ્પાને મેડીકલ એસોસિએશન તરફથી મળેલા ટીબી કોન્ફરન્સ ના આમંત્રણને પણ માન આપી આવેલો. (૨૦૦૬માં પપ્પાનું અવસાન થયું પછી પણ ઘણા વર્ષો સુધી એસોસિએશન ના કાગળો આવ્યા કરતા, આ લખી રહ્યો છું ત્યારે જ અહેસાસ થયો કે હમણાં થી એ કાગળો આવતા બંધ થઇ ગયા છે) જોકે ફોન કરીને સ્પેશીયલ પરવાનગી મેળવેલી, કે હું ડોક્ટર નહીં બલકે ડોક્ટર પુત્ર છું અને ડોક્ટરોની આ મહેફિલમાં જોડવા ઇચ્છું છું. પછી પુસ્તકો પણ ઘણા વાંચ્યા પણ મને જે માહિતી જોઈતી હતી એ મળતી જ નહોંતી એટલે છેલ્લે એક ડોક્ટર મિત્ર વહારે આવ્યા. જેમની સાથે રીતસરની મીટીંગ ગોઠવીને એમના જ્ઞાનનો લાભ લીધો. ૨) એ જ રીતે મુસ્લિમ કોમ્યુનીટી ની એક રીલીજીયસ વાત હું નવલકથામાં મારા જ્ઞાન અને વાંચન પ્રમાણે લઇ આવ્યો તો ખરો પણ એને મુસ્લિમોનું સમર્થન મળે એ મારા મતે ખૂબ જરૂરી હોવાથી મૌલવીઓને મળ્યો, પણ છેલ્લે તો એક જાણકાર  મુસ્લિમ મિત્ર જ કામ આવ્યો. જોકે એ ગાળામાં એક ગીટાર પણ લાવેલો, આ અસ્ત વ્યસ્ત યાદો… વસ્તુઓ … અને લોકો આંખ સામે તરવરી ઉઠે છે જયારે સાંભળું છું – અસ્ત વ્યસ્ત વસ્તુઓને વ્યવસ્થિત પરોવીને રજુ થયેલું આ ગીત…

 

“મેરી લોન્ડ્રી કા ઇક બિલ,

ઇક આધી પડી નોવેલ,

ઇક લડકી કા ફોન નંબર,

મેરે કામ કા એક પેપર..

મેરે તાશ સે હાર્ટ કા કિંગ,

મેરા ઇક ચાંદી કા રીંગ,

પિછલે સાત દિનો મેં મેંને ખોયા…

કભી ખુદ પે હસા મેં ઔર કભી ખુદ પે રોયા…”

 

એક છોકરીનો ફોન નંબર લીધા હોવાનો એક પ્રસંગ યાદ આવે છે, કોલેજમાં યુનીવર્સીટીની  પરીક્ષા સમયે એક છોકરી જોયેલી, બીજી કોલેજ ની હતી . અને સાલ્લી એ એક દિવસ સ્માઈલ આપી. તો મેં પણ જવાબ માં જોડે જઈને આખુ પેપર સોલ્વ કરી નાંખ્યું, એટલું જ નહીં , ભાયડાએ નંબર પણ માંગી લીધો અને એણે આપી પણ દીધો. બસ, એટલું જ ! આખુ વેકેશન વિચાર્યા કર્યું કે ફોન કરીશ, પણ હિંમત ન થઇ તે ન જ થઇ. પછી એક દિવસ એવો વિચાર પણ આવેલો (કસમ થી આવેલો) કે એ કદાચ આપણા વિષે એવું સારું ન પણ વિચારતી હોય . એટલે ભઈ માંડી જ વાળો ! જોકે એનો નંબર લખાયેલું ચોપડાનું છેલ્લું પાનું એક યાદ સમું તો હતું. પેલ્લીવાર હિંમત કરી ને કોઈ છોકરીનો નંબર માંગ્યાની યાદ. નંબર મેળવ્યાની યાદ. સમય જતા એ ચોપડો પણ ખોવાયો અને એના ચહેરા કે અવાજની યાદ પણ સાવ ભૂંસાઈ ગઈ.

ફિલ્મની ટીકીટો સંઘરી રાખવાની આદત આજ સુધી નથી ગઈ, એના માટે એક જુદો ડબ્બો ફાળવેલો. જેમાં ટીકીટ પાછળ ફિલ્મનું નામ પણ લખી રાખતો. જેમાં હાલમાં જ તૂટેલી ટોકીઝ રીલીફની પણ ઘણી ટીકીટો છે. મેં પહેલા પણ કદાચ કહ્યું છે કે હું વ્યક્તિ કરતા વસ્તુઓ સાથે બહુ જલ્દી લાગણીના તાંતડે બંધાઈ જઉં છું ,અને એ તાંતડો એટલો મજબૂત હોય છે કે ક્યારેક તો વેફરના ખાલી પેકેટ પણ ફેંકવાના જીવ ના ચાલે. મારા ટૂંકા પડેલા જેકેટ મને ક્યારેક ભર ઉનાળે પણ યાદ આવી જાય. પછી મમ્મી દ્વારા જાણ થાય કે એ જેકેટ વાસળવાળીને આપી દેવાયું છે ત્યારે ખરેખર ખૂબ દૂખ થાય, અને એ દુઃખ મહિનાઓ સુધી સતાવ્યા કરે.

 

“પ્રેઝન્ટ મિલી ઇક ઘડી,

પ્યારી થી મુજે બડી,

મેરી જાને કા પેકેટ,

મેરી ડેનીમ કી જેકેટ,

દો વન ડે મેચ કે પાસીસ..

મેરે નયે નયે સન ગ્લાસીસ,

પિછલે સાત દીનોમે મૈને ખોયા,

કભી ખુદ પે હંસા મેં ઔર, કભી ખુદ પે રોયા..”

 

વસ્તુ સંગ્રહની આ આદત નાનપણમાં એની ચરમસીમાએ હતી. નાનપણમાં મમ્મી મને સદરો પહેરાવતા. એ સદરાનું ખિસ્સું હંમેશા ફૂલેલું હોય. એમાં જગતભરનો કચરો ભર્યો હોય. માચીસના છાપ, ફિલ્મ સ્ટારના છાપામાંથી કાપેલા ફોટા, ક્યારેક થોડું ચિલ્લર ને ક્યારેક તો ખાઈ લીધેલી પેપ્સી કોલાની ખાલી થયેલ કોથળી. આવું બધું શર્ટ જેવા સદરાના ઉપરના ખિસ્સામાં ભરીને આખો દિવસ ફર્યા કરતો. એમાં એક વખત એવું થયું કે મારા કાકીમા એ મને એમના ઘરે નાચવા બોલાયો. મારા એક કાકાનું ઘર મારા ઘરને અડીને જ આવેલું છે. હું ત્યારે નાનો ને મારા કઝીન ભાઈ હરદેવભાઈ અને હેતલબેન કોલેજીયન. એ દિવસે થયેલું એવું કે ભારત પાકિસ્તાન સામે મેચ જીતી ગયેલું અને એની ખુશીમાં હરદેવભાઈ અને હેતલબેને ડ્રોઈંગ રૂમમાં આનંદની અભિવ્યક્તિ રૂપે નાચવાનું શરુ કર્યું, કાકીમાને હું યાદ આવ્યો અને મને પણ એમના ઘરે નાચવા બોલાવાયો, ભાઈ – બહેન જોડે મેં નાચવાનું શરુ તો કર્યું, પણ જેવો હું થોડું નાચું કે મારા ખિસ્સામાંથી એકાદ વસ્તુ નીચે પડે. એ વીણું ત્યાં બીજા ઠેકડે પાછી બીજી વસ્તુ. કાકીમા મારી આ પ્રક્રિયા જોઇને સ્માઈલ કરે, ને હું ય સામું – સ્માઈલ ! એ દિવસે હરદેવભાઈ અને હેતલબેને મને બરાબરનો ટકોરેલો – આ શું બધું ખિસ્સામાં લઈને ફર્યા કરે છે ? પછી મેં ઘરે મમ્મીને જઈને કહી દીધું – મેં તો પહેલા જ કીધેલું , મારે નાચવા નથી જવું !

છેલ્લા કેટલાય વર્ષોથી મારી સુખ દુઃખની સાથી રહેલી મારી બેગનો મેં ગઈ કાલે એક મસ્ત ફોટો પાડ્યો. (જે હાલ મારા મોબાઈલના વોલપેપર પર પણ છે) હવે એ ક્ષીણ થઇ રહી હોવાથી એને ઓછી વાપરવાનો નિર્ણય લીધો છે. બેશક, એ બેગ પણ મને ખૂબ જ પ્રિય છે.

મારી બેગનો ગઈકાલે જ પાડેલો ફોટો

મારી બેગનો ગઈકાલે જ પાડેલો ફોટો

વસ્તુઓ ની જેમ યાદોનું પણ એવું જ વળગણ ! થેંક ગોડ, યાદો ક્યારેય ખોવાતી નથી.

“કૈસે ભૂલું, સાતવાં જો દિન આયા.. 

કીસીને… તુમસે.. ઇક પાર્ટી મેં મિલવાયા,

કૈસા પલ થા, જિસ પલ મૈને તુમકો પહેલીબાર દેખા થા,

હમ જો મિલે પહેલીબાર , મૈને જાના ક્યા હૈ પ્યાર , 

મૈને હોશ ભી ખોયા, દિલ ભી ખોયા,

કભી ખુદ પે હંસા મેં ઔર કભી ખુદ પે રોયા.. 

મૈને પિછલે સાત દિનો મેં યે સબ હૈ ખોયા..” 

બસ, હવે કંઈ બોલવું નથી

બસ હવે કંઈ બોલવું નથી…

બોલીને જે કહેવું છે એ કહેવાની ક્ષમતા મારામાં નથી

કદાચ ઉંધુ જ બોલાઈ જતું હશે મારાથી,

હા, એટલે જ તો લોકો હું જે કહું છું એનો ઉંધો અર્થ જ કાઢે છે,

અને એ તો હું એવું માનું છું કે તેમણે ઉંધો અર્થ કાઢ્યો,

ખરેખરમાં એવું પણ હોય કે મારાથી ઉંધી રીતે જ બોલાયું હોય,

મને ક્યાં કંઈ બોલતા આવડે છે,

ચાલતા ય ક્યાં આવડે છે,

અરે ઉભા રહેતા ય નથી આવડતું,

અફકોર્સ બોલતા તો બિલકુલ નથી આવડતું

એટલે બસ, હવે કંઈ બોલવું નથી,

ક્યાંક મારાથી ઉંધા અર્થમાં બોલાઈ જાય અને..

શું થઇ જાય? જે કંઈ પણ થાય તેનો મને સહેજ પણ ડર નથી,

બિલકુલ વળી, હવે થઇ થઈને શું થવાનું છે,

થવામાં કંઈ બાકી રહ્યું છે ખરું ?

જે થયું છે એ બધું મેં ખુલ્લેઆમ કહ્યું પણ છે,

અને એમ ખુલ્લેઆમ બધું કાબુલવાથી પણ ઘણું બધું થયું છે,

જે થયું છે એનો પસ્તાવો નથી અને જે થશે એનો ડર નથી,

એમ તો આજે પણ કહી દેત , પણ આજ પૂરતું તો લીધેલું પ્રણ પાળું –

બસ, હવે કંઈ બોલવું નથી.

જો આ બંદો કાફિર છે, તો પછી દુનિયામાં કોઈ મુસલમાન નથી !

રવિશંકર પાકિસ્તાનમાં રહેતો એક હિંદુ છે, અને એ ત્યાં જાકીર તરીકે કામ કરે છે. જાકીર એ વ્યક્તિને કહેવામાં આવે છે જે ધાર્મિક કાર્યક્રમો કે મજલિસોમાં ઇસ્લામની અગત્યની ઘટનાઓ વિષે વિવરણ આપે. પાકિસ્તાનના ધાર્મિક કાર્યક્રમોમાં ત્યાંના હિંદુ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાય છે. રવિશંકર સામાન્ય મુસલમાનની સરખામણીમાં ઇસ્લામ ધર્મની વાર્તાઓ અને પરંપરાઓ વિષે વધુ જાણકારી ધરાવે છે. તેમણે ૭૦ના દાયકાથી આ જવાબદારી ઉપાડી છે. રવિશંકરને એક વખત દમનો રોગ થયો અને તેઓ માનતા માંગવા મજાર પર ગયા અને તેમની તબિયત સુધરી જતા ત્યારથી જ રવિશંકર આ રંગમાં રંગાઈ ગયા. રવિશંકરે નાગર નિગમમાં નોકરી કરી. ૯૦ના દાયકામાં તેમણે મજલીસ વાંચવાનું શરુ કર્યું પણ આ માટે તેમણે કોઈ મદરેસા કે યુનીવર્સીટીમાંથી શિક્ષણ નથી મેળવ્યું પણ જાતે જ પોતાના આગવા વાંચનથી તેમણે આ જ્ઞાન મેળવ્યું.

રવિશંકરે મિર્ઝા સલામત અલી દબીર, મીર અનીસ અને બીજા ધાર્મિક વિદ્વાનોના પુસ્તકો વાંચ્યા પણ તે હિંદુ શાયરા દેવી રૂપ કુમારીથી વધુ પ્રભાવિત થયા છે. તે સિંધ, ઝંગ , ઓકાડા, આરીફ વાલા, રાવલપીંડી, લાહોર અને ખેબર પખ્તૂનખ્વાહ માં મજલીસ પઢી ચુક્યા છે. રવિશંકરના મિત્રોએ તેમને કહ્યું કે ડેરા ઈસ્માઈલ ખાન, પેશાવર અને કોહાટ માં તાલીબાન છે, જે તને મારી નાંખશે તો જવાબમાં રવિશંકર કહે છે કે મારે તો એવું જ મૃત્યુ જોઈએ છે, કેમકે સામાન્ય મૃત્યુ કરતા શહાદત સારી.વાહ, સલામ છે આ બંદગી ને !

રવિશંકર

રવિશંકર

પંજાબના કેટલાક શહેરોમાં એક હિન્દુના જાકીર હોવા પર વિરોધ થયો, પણ રવિશંકર વિરોધીઓને ઝંગના વિદ્વાન અલ્લામા નસીમ અબ્બાસ રીઝવીનું નામ આપે અને સાથે એમનો ફોન નંબર પણ આપે. અલ્લામા નસીમ અબ્બાસને તે પોતાના ઉસ્તાદ પણ માનતા હતા.અલ્લામા નસીમ અબ્બાસ સાથે સંપર્ક કર્યા બાદ લોકો ચુપ થઇ જતા, પણ અફસોસ કે હવે અલ્લામા નસીમ અબ્બાસ આ દુનિયામાં નથી રહ્યા.  એટલે વળી પાછા આ પાક કામમાં વિરોધો.. અડચણો ! અને હવે તો રવિશંકર નો પક્ષ લેનારું પણ કોઈ નહીં.

મજલીસ પઢવાવાળા કેટલાક જાકીરોને આયોજકો નઝરાના પણ પેશ કરે પણ રવિશંકર આવા પૈસા નથી લેતા. તે ફક્ત પોતાની આસ્થા અને પ્રેમ માટે આ કામ કરે છે. તે વિવાદાસ્પદ ભાષણ નથી આપતા. એ પોતાની ધાર્મિક આસ્થા છોડતા નથી અને બીજાની ધાર્મિક આસ્થાને છંછેડતા નથી. રવિશંકર હવે નોકરીમાંથી નિવૃત થયા છે. તેમને પેન્શનના જે સાત આંઠ લાખ રૂપિયા મળ્યા એને તેમણે ઈમામ બાડા ના કામમાં લગાવી દીધા. (અબ ઇસસે બડી બાત કોઈ હો સકતી હૈ મિયાં ? )  હવે સ્થાનિક ઈમામ બાડાની મસ્જિદોના કેટલાક કેરટેકરો પણ તેમના વિરોધી બની ગયા છે. રવિશંકરની છેલ્લી ઈચ્છા છે કે ઇસ્લામી રીવાજ મુજબ તેમની નમાઝ-એ-જનાઝા અદા કરવામાં આવે અને એ જ ઈમામ બાડામાં તેમના અંતિમ સંસ્કાર થાય જે તેમણે બનાવડાવેલું. (માઈન્ડ વેલ, રવિશંકર શંકરની આ છેલ્લી ઈચ્છા એ એનો બાકાયદા હક છે ) રવિશંકર એવું માને કે જેમની સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે જુમ્માની નમાજ પઢી છે, તેમની જ જવાબદારી છે કે તે રવિશંકરની નમાજે જનાજા અદા કરે. જો એ લોકો આ નહીં કરે તો રવિશંકરના બાળકો કોઈ બીજાને બોલાવીને નમાજે જનાજા અદા કરાવશે. રવિશંકર પાકિસ્તાનને બે દશક પહેલા જેવું હતું તેવું જ જોવા માંગે છે. ત્યારે આસ્થાના મુદ્દે કોઈ ખાસ ભેદભાવ નહોંતા. બધા ભાઈઓની જેમ રહેતા હતા. આજે પણ એવું થાય તો પાકિસ્તાનની દુનિયામાં પ્રતિષ્ઠા વધે.

સરસવના તાજીયા ! ભઈ વાહ !

ઇસ્લામ ધર્મના પૈગમ્બર મોહમ્મદના પૌત્ર ઈમામ હુસૈનની શહાદતની યાદમાં મનાવવામાં આવતી મોહરમ. આ મોહરમ આમ તો મુસલમાનોનો માતમી તહેવાર છે, પણ ભારતના ઘણા ભાગમાં આ માતમી તહેવારમાં હિંદુ પરિવાર પણ જોડાય છે. ભારતમાં લોકો આજે મોહરમ ઉજવી રહ્યા છે. વર્ષોથી દરેક મહોરમ પર સરગવાના તાજીયા હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમા છે.

ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનના સાંભર લેક વિસ્તારમાં નીકાળવામાં આવતા તાજીયા એક હિંદુ પરિવાર દ્વારા નીકાળવામાં આવે છે. રંગીન પત્તા અને સુંદર ઝાલરો થી સજાવેલા તાજીયા અને એમાય સરસવની તાજી સુગંધ, જાણે સોનામાં સુગંધ ભેળવવાનું કામ કરતા હોય છે. અને આમ તો કહેવાની જરૂર ન હોય તોય કહી દઉં કે જયપુરથી ૮૦ કિમી દૂર આવેલા આ વિસ્તારમાં તાજીયા રસ્તા પર ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આમ તો મોહરમ પર તાજીયા શિયા મુસ્લિમ સમુદાયના લોકો જ નીકાળે છે , પર ઇસ હરિયાલે તાજીયે કી તો બાત હી કુછ ઔર હૈ મિયાં !

141103174641_abha_sharma_jaipur_hindu_muharram_624x351_abhasharma_nocredit

હિંદુ અને મુસ્લિમ બંને આ અવસર વહેંચવામાં આવતા તબરૂક (પ્રસાદ) ને હર્ષભેર આરોગે છે. હિંદુ સ્ત્રીઓ પોતાના બાળકોની સલામતી અને સ્વાસ્થ્ય માટે તેમને આની નીચેથી નીકાળે છે. આ વિસ્તારના એક હિંદુ અગ્રવાલ – ક્યાલ પરિવાર દ્વારા વણજારાઓના પીર બાબા આગળ માનવામાં આવેલી વેપાર અને બાળકની ઈચ્છા માટેની બાધા પૂરી થયા બાદ આભાર સ્વરૂપ આ પરંપરા લગભગ દોઢસો વર્ષ પહેલા શરુ થઇ. ક્યાલ પરિવાર પારંપરિકરૂપે મીઠાના વેપારી રહ્યા છે અને આઝાદી પહેલા વણજારા અલગ અલગ જગ્યાઓએ ફરીને મીઠું વેચતા હવા. સરસવના તાજીયા આજે પણ વણજારાઓની મસ્જીદમાં જ તૈયાર કરવામાં આવે છે.

સરસવના તાજીયા કયાલ પરિવારની દેખરેખમાં જ તૈયાર થાય છે. આ બનાવવા માટે વાંસની ખપચ્ચીઓ થી તાજીયા તૈયાર કરીને સરસવના દાણાને ભીના રૂમાં રાખીને આના પર લપેટવામાં આવે છે. પછી આને ૨૪ કલાક દેખરેખ હેઠળ રાખવામાં આવે છે, જેના માટે એક વ્યક્તિ સતત તાજીયા પાસે રહે છે, અને એના પર પાણી છાંટતો રહે છે. મોહરમના દિવસે તાજીયા નીકાળતા પહેલા ક્યાલ પરિવારના મુખ્ય સભ્ય અને મસ્જિદના મૌલવીને સાફા પહેરાવવામાં આવે છે અને તાજીયા ચોકમાં આવે ત્યારે પૈસા અને કોડીઓનો વરસાદ શરુ થઇ જાય છે. આમાં ઉછાળેલા સિક્કાઓમાંથી ઘણા લોકો તાવીજ બનાવી ને પોતાના બાળકના ગળામાં પહેરાવે છે. તાજીયા પર સરસવ કેટલા ફૂલ્યા છે અને રંગ કેવો ખીલ્યો છે તેના આધારે લોકો પાક કેવો થશે એનો અંદાજ પણ લગાવે છે.

લખનઉંમાં શિયા મુસલમાનોની સંખ્યા વધુ હોવાને કારણે મોહરમનો આખો મહિનો ધાર્મિક જોશ સાથે મનાવવામાં આવે છે. અહીં ઘણા હિંદુઓ મોહરમમાં ભાગ લે છે, અને શિયા મુસ્લિમ જેટલા જ વિશ્વાસથી શિરકત કરે છે. આમાંના ઘણા પરિવાર તો બ્રામ્હણ છે જે હવે હુસૈની બ્રામ્હણ ના નામથી ઓળખાય છે.

હા, તું મળી…

જે સ્વરૂપે, જે સમયે અને જે ભાવનાઓ સાથે તને ઝંખી હતી ,

તું અદ્દલ એ જ સ્વરૂપે …

સમયની એ ચોક્કસ ઘડીએ …

ધાર્યા કરતા પણ વધુ ભાવુક થઈને મળી..

પણ વાસ્તવમાં નહીં, સ્વપ્નમાં !

મેં ધાર્યું કે તારી જ કોઈ અદમ્ય ઈચ્છાએ મારી ઈચ્છા સાથે

મુલાકાત કરી, અને તું સ્વપ્નમાં મળી…

ખરેખર એવું થયું? કે એ મારી ભ્રમણા છે?

સ્વપ્નોની વાસ્તવિકતા એ છે કે એ મનના જ વિચારો છે …

એની સાથે હું તારા મનની સંડોવણી હોવાનું ધારવાની ચેષ્ઠા કેવી રીતે કરી શકું ?

કે કરી શકું ? મારા આનંદ ખાતર તો એવું થાય ને?

મારા આનંદ ખાતર મારાથી સપના તો જોવાય જ ને ?

દૂતી ચાંદ … અને બીજા અનેક !

કોઈ છોકરો થોડાઘણા અંશે છોકરી જેવો દેખાતો કે વર્તતો હોય કે કોઈ છોકરી માં છોકરાના લક્ષણ હોય તે અંગે સોસાયટી – સમાજ કઈ રીતે વર્તે છે? એક હદ કરતા વધારે તેમની મજાક થાય… તમારી સાથે ક્યારેક હોસ્ટેલમાં કે કોલેજમાં રેગીગ થયું હશે તો એ તમને જીવનભર યાદ રહી ગયું હશે… જયારે આ તો રોજબરોજ નું રેગીંગ ! આ રીતે વર્તતી વખતે માણસો માણસાઈ ભૂલી જાય છે… આવા બનાવોના ભોગ બનેલા વ્યક્તિને તો કદાચ અપંગ કે અંધની પણ ઈર્ષા આવતી હશે…. કારણ કે દુનિયા એમની સાથે સહાનુભુતિ થી વર્તે છે અને એમની ખોડ નો મજાક નથી બનાવતી (જનરલ્લી ).

કોઈ ગોરું હોય, કોઈ કાળું હોય તેમ કોઈ સ્ત્રીમાં પુરુષના હોર્મોન્સ હોવા અને પુરુષમાં સ્ત્રીના હોર્મોન્સ હોવા એ નેચરલ છે. જીહા, દુનિયાના દરેક પુરુષ માં સ્ત્રી હોર્મોન્સ હોય છે , પણ તેની માત્રા માર્યાદિત હોય છે. અને પ્રાકૃતિક રીતે આ માત્રાનું બેલેન્સીંગ વધારે ઓછું થઇ શકે છે -કોઈ પણ પુરુષ ના શરીર માં , બટ ધેટ ડઝ નોટ મીન કે એ સંજોગોમાં એ પુરુષ ગે બની ગયો કે સ્ત્રી બની ગયો. પુરુષોની જેમ સ્ત્રીઓમાં પણ આ પ્રશ્ન એટલું જ સ્થાન ધરાવે છે. ખાસ કરીને સ્ત્રી એથલીટસ માટે તો આ એક યક્ષ પ્રશ્ન છે.

ભારતની યુવા એથલીટ દૂતી ચાંદને શારીરિક બદલાવને કારણે આંતરરાષ્ટ્રીય રમતોમાંથી બહાર કરવામાં આવી, અને આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. ૧૯૭૮ની બેંગકોક એશિયન ગેમ્સમાં ભારતની એક સ્પ્રિટર શાંતિ સુંદરરાજનને જેન્ડર ટેસ્ટમાં ફેલ થવાને લીધે રમતમાંથી બહાર કાઢવામાં આવી હતી, શાંતિ સુંદરરાજને ૨૦૦૬માં એશીયાઇ રમતમાં રજત પદક જીત્યું હતું પણ જેન્ડર ટેસ્ટમાં ફેઈલ થવાને કારણે તેની પાસેથી આ પદક છીનવી લેવાયું હતું. અને એથી તેણીએ હોટલની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

શાંતિ સુંદરરાજન

શાંતિ સુંદરરાજન

આ ટેસ્ટ જે કોઈ પણ કારણ સર થતો હોય, પણ એની સીધી અસર સ્ત્રીના વ્યક્તિત્વ પર પડે છે, જરા કલ્પના તો કરો… કોઈ સ્ત્રીને જાહેરમાં પડકારવી કે તું સ્ત્રી છું કે નહીં… તેની કસોટી કરવામાં આવશે… અને પછી એવું કહી દેવામાં આવે કે તું સ્ત્રી જ નથી એટલે તને સ્ત્રી સ્પર્ધામાં ભાગ લેવા નહીં મળે. આવી પરિસ્થિતિ માંથી પસાર થયેલી સ્ત્રી ની માનસિક સ્થિતિ શું થાય ? અને કદાચ એ પોતાની જાતને સંભાળી પણ લે, પણ આ સમાજ કેવો છે? એને ભૂલવામાં મદદ કરે એવો ? કે દાઝ્યા પર ડામ દે એવો? ૧૯૮૦ના દાયકામાં બીજી એક સ્પ્રિટર ખેલાડી નૈની રાધા ટેસ્ટમાં ફેલ થવાને કારણે ઓપરેશન કરાવીને રાધાકૃષ્ણન બની ગઈ, અને પૂરૂષની જેમ જીવન વિતાવવા લાગી.

141010153958__78072018_173104702

આ ટેસ્ટ વ્યક્તિનું નર કે નારી હોવાનું નક્કી કરે છે. ૧૯૭૩ ના મોન્ટ્રીયલ રમતોત્સવમાં બ્રિટેનની રાજકુમારી એને ઘોડેસવારીમાં ભાગ લીધો હતો, પણ ફક્ત એમને આ ટેસ્ટ માંથી બાદ રાખવામાં આવ્યા હતા જયારે બાકીની બધી સ્ત્રીઓએ ટેસ્ટ આપવો પડ્યો હતો. આ ટેસ્ટ સ્ત્રીઓને ઘણો ક્રૂર લાગતો હતો અને સતત એનો વિરોધ પણ થતો રહ્યો. પણ એ નક્કી કરવું પણ જરૂરી હતું કે સ્ત્રીઓની સ્પર્ધામાં ફક્ત પૂર્ણરૂપે સ્ત્રીઓ જ ભાગ લે. છતાં વિરોધને કારણે એટલાન્ટા ઓલમ્પિક બાદ આ ટેસ્ટને બંધ કરી દેવામાં આવ્યો. પણ જયારે દક્ષીણ આફ્રિકી એટલીટ કાસ્ટર સેમેન્યા નો કેસ સામે આવ્યો તો એકવાર ફરી લિંગ પરીક્ષણની વાત ઉછળી.

પણ આ વખતે કંઇક અંશે સુધાર આવ્યો, શારીરિક પરીક્ષણને બદલે સ્ત્રીઓ ના હાયરાઇન્દ્રોજૈનીસ્મ ને તપાસવામાં આવ્યું જેથી સ્ત્રીઓના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન સ્તર માપી શકાય. ટેસ્ટોસ્ટેરોન પુરુષ પ્રધાન હોર્મોન હોય છે, જે પુરુષો માં વધુ માત્રામાં હોવાથી તેઓ વધુ બળવાન હોય છે. આંતરરાષ્ટ્રીય એથ્લેટિક સંઘ માને છે કે જો કોઈ સ્ત્રીમાં આ હોર્મોનની માત્રા વધુ હોય તો તેને સ્ત્રી તરીકે સ્પર્ધામાં ભાગ લેવાનો હક નથી. દૂતી ચાંદના શરીરમાં પણ આ હોર્મોનનું પ્રમાણ વધારે હોવાથી તે ઝડપી દોડી શકે છે. આ હોર્મોન પ્રકૃતિની ભેટ છે. જેમ કોઈ ગોરું હોય અને કોઈ કાળું ,બિલકુલ એ જ રીતે કોઈનામાં આ હોર્મોન વધુ હોય અને કોઈનામાં ઓછા, આથી આપણે જો રંગભેદ નથી કરતા તો હોર્મોન ભેદ શા માટે?

દૂતી ચાંદને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો હક અપાવવામાં કેનેડાનો પૂર્વ એથલીટ બ્રુસ કીડનો મોટો ફાળો છે. કીડે પોતાની એથલીટ કેરિયરમાં ઘણો સમય જયપુરના સોશિયલ વર્કમાં વિતાવ્યો છે અને હવે એ ટોરંટો યુનીવર્સીટી નો ડીન છે. કીડે જણાવ્યું કે આ ટેસ્ટનો અર્થ કોઈ સ્ત્રીને પુરુષ કરાર આપવાનો નથી. તેમણે કહ્યું કે એ નક્કી કરવું વધારે જરૂરી છે કે કેવી પરિસ્થિતિમાં સ્ત્રીમાં ટેસ્ટેસ્ટીરોન નું પ્રમાણ વધે છે. તેમનો ઈશારો એવી સ્ત્રીઓ તરફ હતો જે જાણી જોઇને પોતાનું ટેસ્ટેસ્ટીરોન વધારી દે છે , જેથી એમને બાકીની સ્ત્રીઓ કરતા વધુ શક્તિ મળે. આ અપ્રમાણિકતા છે અને આને ડોપિંગ કરાર આપવામાં આવે છે. અને એથી જ આ નિયમની જરૂર પડી. કિડને વિશ્વાસ છે કે તે દૂતી ચાંદનો કેસ જીતી જશે, ભલે તેમાં લાંબો સમય લાગી જાય.

દિવાળીમાં મારે ઘેર … આવશો કે નૈ ? આવશો કે નૈ ?

મારા માટે નાનપણથી દિવાળીનું સૌથી મોટું આકર્ષણ – રંગોળી !નાનો હતો ત્યારે બહેનો જ બનાવે, આપણને કોઈ ચાન્સ ના આપે… પછી થોડો મોટો થયો એટલે સમજ64613_Diwali-Fireworks-Wallpapers_1024x768 આવી કે ચાન્સ કોઈ આપે નહીં પણ જાતે લઇ લેવો પડે. ત્યારથી દરવર્ષે રંગોળી બનાવું છું. એ પણ જેમતેમ નહીં હોં, પહેલા ગેરુ લગાડવાનું , પછી ચિતરવાની જુદી જુદી રચનાઓ …. ક્યારેક મોડર્ન આર્ટ તો ક્યારેક સિમ્પલ તો ક્યારેક ચાર્ટ ! આ બધું વાંચીને એવું ના માની લેતા કે હું રંગોલીનો ખેરખા છું, એવું બિલકુલ નથી. સામાન્ય કરતા પણ થોડી ઉતરતી કક્ષાની રંગોળીઓ માં મારી રંગોળી આવતી હોય છે. હવે પાછો ફોટાનો જમાનો આયો છે એટલે તમે કહેશો કે એ બધું જવાદો અને અમને જાતે જ નક્કી કરવા દો … લાવો બતાવો ફોટા ? તો એમાં એવું છે કે ફોટા તો બધા  ખૂબ આડાઅવળા … અને એથીયે અવરચંડી મારી આળસ એટલે ફોટા માટે હાલ પૂરતું મુલતવી.

ફટાકડાનું પણ જબ્બર આકર્ષણ નાનપણમાં હતું. ફટાકડા વાળો ઘરે આવીને એક કાગળ આપી જતો, જેમાં તેની દુકાનમાં ઉપલબ્ધ બધા ફટાકડાના નામ અને કિંમત લખેલા હોય અને દરેકની સામે એક ખાનું. પછી જે ફટાકડો લેવો હોય એની સામે આપેલા બે ખાનામાંથી એક ખાનામાં ટીક કરવાનું અને બીજા ખાનામાં ક્વોન્ટીટી લખવાની. પ્રાઈઝ પણ આપેલી હોય એટલે ઓર્ડર આપતી વખતે જ આપણ ને ખબર પડી જાય કે કેટલો ખર્ચ થશે. જોકે એ ટોટલ માં દુકાનવાળો થોડું ડિસ્કાઉન્ટ પણ કરી આપતો. અને પછી આવતો… ફટાકડાનો મોટ્ટો કોથળો ! જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એ કોથળાની સાઈઝ નાની થતી ગઈ… કોથળો નાનો થતા થતા ધીમે ધીમે ગાયબ જ થઇ ગયો. અને હવે મૂડ હોય તો એકાદું ૫૫૫ નું પેકેટ લઇ આવું , અને હા, તારામંડળ પણ ! તારામંડળ મને સૌથી વધુ ગમે…. એના તણખામાં જાણે મને કઈ કેટલીયે ઉજાણીઓ સમાયેલી લાગે. હું ૪ – ૫ તારામંડળ ઝાડ પર લટકાવીને પછી બધા સાથે સળગાવતો . સરસ નજારો સર્જાતો.

અને લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ , મીઠાઈઓ . આખો દિવસ દિવાળીના નાસ્તા આચળ કુચળ ખાધા કરવાની મજા જ જુદી . એમાં મારી અતિ પ્રિય સુંવાળી. સુંવાળી મને બહુ ભાવે બાપુ… દિવાળીના દિવસોમાં સવારે ઉઠું તો ચા ભેગી સુંવાળી…. ! તમે એવું પૂછશો કે ચા મોળીના લાગે ? અરે એવું કઈ ના લાગે… સુંવાળી નો સ્વાદ તો હરહંમેશ સુરીલો લાગે. મઠીયા બિલકુલ ના ભાવે… ચવાણું વાટકી ભરી ભરીને ટીવી જોતા જોતા ખાવાનું … પણ ગઈ દિવાળીએ એક પણ મીઠાઈ નહોંતી ખાધી…. માંદગી પછી ની પરેજી રૂપે… જોકે આ વખતે પરેજી ફરેજીના મૂડ આવે એવું હાલ તો લાગતું નથી.

દિવાળી પર રીલીઝ થયેલું મૂવી પણ દર બેસતા વર્ષે પહેલા જ શોમાં !

ઓહ્હ … દિવાળી ! કેટલો મોટો અને ભવ્ય તહેવાર ને ? આપ સૌને દિવાળીના ખૂબ ખૂબ વધામણા … અને મુજ આંગળે ભાવભર્યું સ્વાગત ….

અને ઓલી વ્હાલસોયી ચકલીનું પણ મીઠડું સ્વાગત…

ચકી બેન ચકી બેન … મારે ઘેર દિવાળીમાં … આવશો કે નૈ ? આવશો કે નૈ ?

બેસવાને સોફો (અને એના પર નવા કવર)…

જોવાને રંગોળી…. .

ખાવાને સુંવાળી …

આપીશ તને… આપીશ તને…..

આવશો કે નૈ ? આવશો કે નૈ ?

સરહદ પાર… અબ તક બચ્ચન !

પાકિસ્તાનમાં એક બચ્ચનનો દિવાનો, માંડે છે પોતાના બાળપણથી લઈને વૃદ્ધત્વ સુધીની વાત ! 

હિન્દી સિનેમાના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અઠવાડિયા પહેલા ૭૨ વર્ષના થયા. છેલ્લા ચાર દાયકામાં ઘણી પેઢીઓ તેમની ફિલ્મો જોઇને મોટી થઇ, યુવાન થઇ, અને વૃદ્ધ થઇ. પણ અમિતાભ આજે પણ પોતાના ખાસ અંદાજમાં રૂપેરી પડદે છવાયેલા છે. પપ્પા ધોળકાની હોસ્પિટલ માં ડોક્ટર તરીકે ફરજ પર હતા એ ગાળામાં બચ્ચનની ‘એન્ગ્રી યંગ મેન બ્રાન્ડ’ વાળી બધી મુખ્ય ફિલ્મ આવેલી. અને મારી બહેનોએ મમ્મી-પપ્પા સાથે એ બધી ફિલ્મો જોયેલી. અમિતાભની ફિલ્મો પ્રત્યે એમનો ક્રેઝ્ જબ્બર હતો, એમણે પણ મને અમિતાભની ફિલ્મ જોવા માટે કરેલા ધમપછાડાઓ જેવા અનેક કિસ્સાઓ કહ્યા છે..

હિન્દી સિનેમાના મહાનાયકનો જાદુ જેટલો ભારતમાં હતો તેટલો જ પાકિસ્તાનમાં પણ હતો.પુરાવો જોઈએ છે? તો ચાલો કરીએ વુસ્તુલ્લાહ ખાનના બ્લોગ પર એક નજર. વુસતુલ્લાહ ખાન આજીવન બચ્ચન ના આશિક રહ્યા છે, એમના નાનપણ થી લઈને વૃદ્ધત્વ સુધીના જીવનમાં બચ્ચન કેવી રીતે સંકળાયેલા છે એ જાણવા આજે એમના જ શબ્દોમાં લખાયેલી એક પોસ્ટ વાંચીએ.

વુસતુલ્લાહ ખાનનો આ બ્લોગ ઉર્દુમાં છે, અત્રે પ્રસ્તુત છે, તેમના અમિતાભ વિશેના લેખનું ગુજરાતી અનુવાદ…

બિલકુલ પણ આશ્ચર્યચકિત ન થતા જો હું કહું કે હું અને અમિતાભ બચ્ચન એક સાથે મોટા થયા, પણ હવે હું ઘરડો થઇ રહ્યો છું. હું તમને સમજાવું છું… જીવનમાં પહેલી ફિલ્મ આનંદ જોઈ તો જાણ્યું કે ફિલ્મ શું હોય છે. આનંદ બાબુને જીવતા રાખવાના પ્રયાસમાં લાગેલા દુબળા પાતળા લાંબા ડોક્ટરને જોયા તો જાણ્યું , દોસ્તીના શું મુલ્યો છે. અને જયારે બહાર નીકળ્યો તો એ જાણ્યું કે પોતાના જ ગાલ પર વહેતા ખામોશ આંસુ આટલા ખારા કેમ હોય છે. ત્યારબાદ ઘરમાંથી જુના કપડા, ઘસાયેલા વાસણ, તૂટેલી લાકડીઓ ગાયબ થવા લાગી. કેમ? અરે તમે જ કહો કે મારા જેવો ચોથા ધોરણમાં ભણતો બાળક , ત્રણ કેસેટોવાળા વીસીઆર પર છૂપાઈને અમિતાભની નવી ફિલ્મ ઝંઝીર જોવા માટે ૧૦ રૂપિયા લાવે તો લાવે કઈ રીતે? એ પણ ૭૦ ના દાયકામાં ?

   નમક હરામ

1111

એક વાર એવું થયું ને થયું કે વીસીઆરવાળાએ કાનમાં કહ્યું , આજે સાંજે નમક હરામ લાવી રહ્યો છું, આવી જા. મેં કહ્યું, બસ પાંચ રૂપિયા પડ્યા છે મારા ગલ્લામાં ! તેણે કહ્યું કંઈ વાંધો નહીં, ઉધાર જોઈ લે ! અમ્માને કહ્યું કે સાંજે દોસ્તને ત્યાં જઈ રહ્યો છું , ભણવા માટે! સવારે પરીક્ષા છે. અમ્માએ આંખમાં આંખ પરોવીને કહ્યું, ભણીને પાછો આવી જાય તો મને પણ નમક હરામની વાર્તા સંભળાવી દેજે, પછી કહેવા લાગી.. મને સાચું કહીને જવાનું રાખ, નમકહરામ! મેં તને પેદા કર્યો છે, તે મને નહીં. પછી પૂછ્યું, પૈસા છે? મેં ના પાડી.. તેમણે પોતાના દુપટ્ટાની ગાંઠ ખોલીને દસ રૂપિયા કાઢ્યા, અને મારી હથેળી પર મૂકી દિધા. એ દિવસ પછી હું લગભગ અમ્મા આગળ તો જુત્ઠું નથી જ બોલ્યો.

શોલે

2222

શોલે જોતી વખતે પોલીસની રેડ પડી ગઈ કેમકે તે દિવસોમાં વીસીઆર પર ફિલ્મ જોવી, તે પણ સ્લમડોગ ભારતીય ફિલ્મ જોવી એ પોલીસની નજરમાં ગંભીર અપરાધ હતો. જો એ દિવસે મજીદ મને પોતાના ખભા પર ઉંચકીને દીવાલ ન કુદાવત તો બાપની આબરૂ અને મને છોડાવવા માટે એમના પૈસા , બંને ફૂંકાઈ જાત. અમિતાભની છેલ્લી ફિલ્મ કૂલી હતી, જે મેં જોઈ. પછી ઘણા વર્ષો સુધી કોઈ પણ કલાકારની કોઈ પણ ફિલ્મ ન જોઈ.

બાગબાન

3333

એક જમાના બાદ એક દિવસ બાગબાને ફરી મને મારા બાળપણનો હીરો સફેદ વાળમાં પરત કર્યો. પછી બ્લેક, સરકાર, સરકાર રાજ, નિશબ્દ, ચીની કમ, પા અને ભૂતનાથ કે જે હું મારા નાના દીકરા રાફે ને દેખાડવા થીયેટરમાં લઇ ગયો. રાફે એ ફિલ્મ જોતા જોતા પૂછ્યું કે બાબા શું તમે ભૂતનાથની જેમ ફિલ્મ જોતા જોતા ગાયબ થઇ શકો છો? હું એને કેવી રીતે જણાવું કે ભૂતનાથ પાછલા ચાલીસ- બેંતાલીસ વર્ષોથી મારી અંદર જ તો રહેતો હતો.

વાત એમ છે કે જમાનાના કોઈ એક વણાંક પર એક ખાસ સમયમાં કેટલાક લોકો કેમેરાને હમેશા માટે પસંદ આવી જાય છે. અમિતાભ પણ એમાંના જ છે. તેમનો ૭૨ મો જન્મદિવસ આવ્યો તો મેં પોતાની જાતને કહ્યું, હેપ્પી બર્થ ડે ટૂ યુ.. બુઢઢાં હોગા તેરા બાપ !